વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

ઘી માં મિક્સ કરીને ખાવા લાગો આ 5 વસ્તુઓ....ડાયાબિટીસ, હાઈ બીપી સહિત શરીરના દરેક દુખાવા કરી દેશે દુર, આજીવન નહિ આવે મોંઘામાં મોંઘુ દવાખાનું...

આપણાં ભારતના લગભગ દરેક રસોઈ ઘરોમાં ઘી જોવામાં આવે છે. દાળ, કરી એટલે કે કઢી અથવા શાકભાજી સાથે લોકો ઘીને ખાવાનું પસંદ કરે છે. ઘીના વઘારથી ભોજનનો સ્વાદ તો વધે જ છે, પરંતુ સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ અનેક લાભ થાય છે. એક્સપર્ટની અનુસાર જો ઘી નું અનેક વસ્તુઓ સાથે કોંબીનેશન કરવામાં આવે તો, તે સ્વાસ્થ્ય માટે પણ ખુબજ લાભકારી થાય છે. આ સિવાય શરીરમાં જો અમુક વિટામીનની કમી હોય તો તે ઘીને ખાવાથી પૂરી થાય છે.

દાળ, કડી અથવા શાકભાજી સાથે લોકો ઘી ખાવાનું પસંદ કરતા હોય છે. ઘીનો વઘાર કરવાથી જમવાનો સ્વાદ તો વધે જ છે, પરંતુ ઘી થી સ્વાસ્થ્યને પણ અનેક લાભ થાય છે. હેલ્થ એક્સપર્ટ મુજબ, ઘીની સાથે ઘણી વસ્તુઓનું સેવન કરવાથી ઘણો લાભ થાય છે.


હળદર વાળું ઘી : હળદર વાળું ઘી સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારી છે. આ ઝડપથી વજન પણ ઘટાડે છે, અને સાથે જ, નવી રક્ત કોશિકાને બનાવીને સાથે-સાથે હદયના સ્વાસ્થ્યને પણ સારું કરે છે. આ કિડની ફડકશનમાં પણ સુધારો કરે છે અને શરીરમાં બળતરાની સમસ્યાને પણ દૂર કરે છે. પોષણશાસ્ત્રીઓ દાવો કરે છે કે, હળદર સાથે ઘી લગભગ દરેક પ્રકારના શરીરના દુખાવાને દૂર કરે છે.


તજ વાળું ઘી : તજમાં રહેલ એન્ટિ-વાયરલ અને એન્ટિ-બેક્ટેરિયલ તત્વ આપણને અનેક બીમારીથી બચાવે છે. આ બ્લડ શુગર લેવલને તો ઘટાડે છે, સાથે જ, પેટના દુખાવાથી પણ મુક્તિ અપાવે છે. એક વાસણમાં થોડું ઘી અને તજ આ બંનેને ગરમ કરવા માટે રાખી દો, આ પછી 4-5 મિનિટ સુધી તેને સેકો, પછી ગેસને બંધ કરીને તેને ઠંડુ થવા માટે રાખી દો. તે તજનો સ્વાદ શોષી લેશે. તે શરીર માટે અત્યંત લાભકારી હોવાનું માનવામાં આવે છે.


લસણ વાળું ઘી : ગાર્લિક બટરની જેમ જ, ઘીની સાથે લસણ સુગંધ અને વઘાર બંનેનો સ્વાદ વધારે છે. લસણમાં રહેલ ગુણકારી તત્વ ઇન્ફ્લેમેશનથી જોડાયેલ સમસ્યાને તો દૂર કરે છે, સાથે જ, બ્લડ પ્રેશરની સમસ્યાને પણ દૂર કરે છે. નિયમિત રૂપથી આનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને અનેક લાભો થાય છે. જો ઘણા લોકો લસણને પીસીને તેને ઘીમાં શેકે છે, આનું સેવન જો શરદી હોય ત્યારે કરવામાં આવે તો શરદીમાં ઘણો આરામ મળે છે. તેમજ શરીરનો કફ નીકળવામાં પણ સરળતા રહે છે.


કપૂર વાળું ઘી : કપૂર સાથે ઘીનું કોંબીનેશન પણ લોકોથી છૂપાયેલ નથી એટલે કે લગભગ દરેક લોકો આ કોંબીનેશન વિષે જાણતા જ હશે. કપૂર સ્વાદમાં થોડું કડવું જરૂરથી હોય છે, પરંતુ તે વાત, પીત અને કફ આ ત્રણ પ્રકારના દોષોથી મુક્તિ અપાવે છે. કપૂર વાળું ઘી આપણાં ડાયેજશનને તો ઠીક કરે છે, સાથે જ આંતરડાનું સ્વાસ્થ્ય, તાવ, હાર્ટએટેક અને અસ્થમાથી જોડાયેલ સમસ્યાને પણ દૂર કરે છે. કપૂરની સુગંધ તેમજ ઘી ની સાથે તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓમાં રાહત મળે છે. 


તુલસી વાળું ઘી : જો તમે ઘર પર ઘી બનાવતા જોયું હશે, તો તમને ખ્યાલ હશે કે, ઘી બનાવતા સમયે વાસણમાથી એક ગંધ આવે છે. પોષણશાસ્ત્રી અનુસાર, જો ઘી બનાવતા સમયે તેમાં તુલસીના પાંદડા નાખી દો, તો આમ, કરવાથી ગંધ પણ નહીં આવે અને ગુણકારી તત્વ પણ ઘી સાથે જોડાઈ જશે. ઇમ્યુનિટી બુસ્ટ કરવાથી લઈને કોમન ફ્લૂ, રેસ્પિરેટરીથી જોડાયેલ સમસ્યા અને બ્લડ શુગર ઘટાડવામાં તે ખુબજ લાભકારી છે. તુલસીએ ખુબ જ ગુણકારી ઔષધી છે આથી જો તેનું સેવન ઘી સાથે કરવામાં આવે તો તેના સ્વાસ્થ્ય લાભોમાં પણ વધારો થાય છે.


FAQs

આ ઘટકો સાથે મારે કેટલું ઘી વાપરવું જોઈએ?

ઘીનો જથ્થો વ્યક્તિગત પસંદગીઓ અને જરૂરિયાતો પર આધાર રાખે છે. થોડી માત્રામાં પ્રારંભ કરો અને તમારા સ્વાદ અને જરૂરિયાતો અનુસાર ગોઠવો.


શું હું દરરોજ આ ઘી મિશ્રણનો ઉપયોગ કરી શકું?

હા, આ ઘીનું મિશ્રણ સામાન્ય રીતે મધ્યમ માત્રામાં દૈનિક વપરાશ માટે સલામત છે. જો કે, જો તમને ચોક્કસ સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ હોય તો હેલ્થકેર પ્રોફેશનલનો સંપર્ક કરવો હંમેશા શ્રેષ્ઠ છે.


શું હું ઘીમાં પાંચેય ઘટકોને એકસાથે ભેળવી શકું?

જ્યારે દરેક મિશ્રણ અનન્ય લાભો પ્રદાન કરે છે, ત્યારે તમામ પાંચ ઘટકોને એકસાથે મિશ્રિત કરવાની ભલામણ કરવામાં આવતી નથી. તેમના વ્યક્તિગત લાભોનો સંપૂર્ણ આનંદ લેવા માટે વિવિધ સંયોજનો સાથે પ્રયોગ કરો.


શું ઘી લેક્ટોઝ-અસહિષ્ણુ વ્યક્તિઓ માટે યોગ્ય છે?

ઘી સ્પષ્ટ માખણ છે, અને સ્પષ્ટીકરણ પ્રક્રિયા દરમિયાન દૂધના મોટાભાગના ઘન અને લેક્ટોઝ દૂર કરવામાં આવે છે. પરિણામે, ઘણા લેક્ટોઝ-અસહિષ્ણુ વ્યક્તિઓ કોઈપણ સમસ્યા વિના ઘીનું સેવન કરી શકે છે. જો કે, પહેલા નાની રકમનું પરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવે છે.


શું ઘીનો ઉપયોગ સ્થાનિક ઉપયોગ માટે કરી શકાય છે?

હા, ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવા અને વાળના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે ઘીનો ટોપિકલી ઉપયોગ કરી શકાય છે. તેના પૌષ્ટિક ગુણધર્મો તેને એક ઉત્તમ કુદરતી ત્વચા સંભાળ ઉત્પાદન બનાવે છે.


શું સગર્ભા સ્ત્રીઓ આ ઘી મિશ્રણનું સેવન કરી શકે છે?

સગર્ભા સ્ત્રીઓએ તેમના આહારમાં કોઈપણ નવા ઘટકોનો સમાવેશ કરતા પહેલા હંમેશા તેમના આરોગ્યસંભાળ પ્રદાતાની સલાહ લેવી જોઈએ.

Post a Comment