વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

આ 5 સંકેતો બતાવે છે ફેફસામાં ગંભીર બીમારીનું કારણ, ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા…


તંદુરસ્ત ફેફસાં એકંદર સુખાકારી માટે મહત્વપૂર્ણ છે. કેટલીકવાર, આપણા ફેફસાંમાં આપણને જાણ્યા વિના સમસ્યા થઈ શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ વહેલાસર ઓળખવા માટે ફેફસાના રોગના ચિહ્નો ઓળખવા જરૂરી છે.

મિત્રો આપણા શરીરમાં ફેફસા એ ખુબ જ જરૂરી અવયવ છે. તેના વગર આપણે શ્વાસ નથી લઇ શકતા. જો તમારા ફેફસામાં કોઈ બીમારી લાગુ પડી જાય તો તેના અમુક લક્ષણો તમને દેખાય છે. આ લક્ષણોને સામાન્ય માનીને અવગણના કરવામાં આવે તો તે આગળ જતા ખતરનાક બની શકે છે. 


માણસને કોઈપણ બીમારી જ્યાં સુધી સંપૂર્ણ રીતે હેરાન નથી કરતી ત્યાં સુધી માણસ તેનાથી શીખ નથી લેતો. એટલે કે કોઈપણ બીમારી જ્યાં સુધી માણસને અંદરથી ખાલી નથી કરતી ત્યાં સુધી તે તેને અવગણે છે. આથી સમય રહેતા તેને ઓળખી લેવામાં આવે તો મોટી આફતથી બચી શકાય છે. આજે અમે તમને ફેફસાની બીમારી થાય તો તમારા શરીરમાં કેવા લક્ષણ દેખાય છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.


કફ આવવો : શું તમે જાણો છો કે છાતીમાં કફ ઇન્ફેકશન અને જલનથી બચવા માટે એરવેજ દ્વારા પ્રોડ્યુસ થાય છે. જો કોઈ માણસની છાતીમાં એક મહિનો અથવા તેનાથી વધુ સમય માટે કફની સમસ્યા રહે છે તો આ કોઈ બીમારી તરફ ઈશારો કરે છે. આથી તેને અવગણતા તેનો ઉપચાર કરવો જોઈએ.


છાતીમાં દુખાવો થવો : ફેફસાની બીમારીમાં તમને એક મહિના સુધી અથવા તો તેનાથી વધુ સમય માટે છાતીમાં દુખાવાની તકલીફ રહે છે. આ એક મોટો સંકેત છે. આ સિવાય જો તમને શ્વાસ લેતી વખતે ઉધરસ આવે છાતીમાં દુખાવો થતો હોય તો આ લક્ષણને ક્યારેય પણ અવગણવો નહી. તેમજ તરત જ કોઈ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 


અચાનક વજન ઓછો થવો : જો તમારા શરીરમાં કોઈપણ પ્રકારની ડાયેટ કર્યા સિવાય અથવા તો કોઈ વર્કઆઉટ વગર અચાનક તમારો વજન ઘટવા લાગે છે તો આ કોઈ સામાન્ય વાત નથી. વાસ્તવમાં તે તમારા શરીરમાં થતા ટ્યુમર તરફનો સંકેત હોઈ શકે છે. આથી અચાનક તમારું વજન ઘટે તો તેની પાછળનું કારણ જરૂર જાણો.


શ્વાસ લેવામાં બદલાવ થવો : જો તમને શ્વાસ લેવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો ફેફસાની બીમારીનો સંકેત હોઈ શકે છે. વાસ્તવમાં ફેફસામાં ટ્યુમર અથવા તો કાર્સીનોમાં ના કારણે ફેફસામાં બનેલ ફ્લુડ એર પેસેજને બ્લોક કરી દે છે. આ કારણે માણસને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી થાય છે. આથી તમને જો શ્વાસ લેવામાં પરેશાની થઇ રહી છે તો તેને સામાન્ય ન માનતા તેનો ઈલાજ કરાવવો ખુબ  જરૂરી છે. 


સતત ઉધરસ અથવા તો ઉધરસમાં લોહી આવવું : સતત આઠ અઠવાડિયા સુધી ઉધરસ અથવા તો ઉધરસમાં લોહી આવે તો માણસના ખરાબ રેસ્પીરેટરી સીસ્ટમને પ્રભાવિત કરે છે. આવું થવા પર તમારે તરત જ કોઈ ડોક્ટર નો સંપર્ક કરવો જોઈએ. તેમજ સમય રહેતા તેનો ઈલાજ કરાવવો જોઈએ.


વારંવાર પૂછાતા પ્રશ્નો 


શું ફેફસાના રોગને અટકાવી શકાય?

સ્વસ્થ જીવનશૈલીનું નેતૃત્વ કરવું, ધૂમ્રપાન અને પ્રદૂષકોને ટાળવું, અને રસીકરણ સાથે રાખવાથી ફેફસાં સંબંધિત સમસ્યાઓના વિકાસના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. જો કે, ફેફસાના તમામ રોગો અટકાવી શકાતા નથી.


ફેફસાના રોગ માટે જોખમી પરિબળો શું છે?

ધૂમ્રપાન, સેકન્ડહેન્ડ સ્મોકનો સંપર્ક, વ્યવસાયિક જોખમો, આનુવંશિકતા અને પૂર્વ-અસ્તિત્વમાં રહેલી શ્વસન સ્થિતિ ફેફસાના રોગ થવાની સંભાવનાને વધારી શકે છે.


ફેફસાના રોગના ચિહ્નો માટે મારે ક્યારે તબીબી મદદ લેવી જોઈએ?

જો તમને લાંબી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા અસ્પષ્ટ વજન ઘટાડવાનો અનુભવ થાય, તો યોગ્ય મૂલ્યાંકન અને નિદાન મેળવવા માટે તાત્કાલિક તબીબી સહાય લેવી મહત્વપૂર્ણ છે.


શું ફેફસાના રોગ વારસાગત છે?

હા, ફેફસાના કેટલાક રોગોમાં વારસાગત ઘટક હોય છે, અને કૌટુંબિક ઇતિહાસ ચોક્કસ શ્વસન પરિસ્થિતિઓ માટે વ્યક્તિની વલણ નક્કી કરવામાં ભૂમિકા ભજવી શકે છે.


હું મારા ફેફસાના સ્વાસ્થ્યને કેવી રીતે સુધારી શકું?

તમારા ફેફસાંના સ્વાસ્થ્યને સુધારવા માટે, તમે નિયમિત કસરતની દિનચર્યા જાળવી શકો છો, સંતુલિત આહારનું પાલન કરી શકો છો, ધૂમ્રપાન અને પ્રદૂષકોને ટાળી શકો છો, સારી સ્વચ્છતાનો અભ્યાસ કરી શકો છો અને રસીકરણ સાથે અપ-ટૂ-ડેટ રહી શકો છો.


શું શ્વાસ લેવામાં તકલીફ હંમેશા ફેફસાના રોગની નિશાની છે?

શ્વાસની તકલીફ ફેફસાના રોગ, હૃદયની સ્થિતિ અથવા ચિંતા સહિતના વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે. જો તમને અસ્પષ્ટ શ્વાસની તકલીફનો અનુભવ થાય, તો યોગ્ય મૂલ્યાંકન માટે હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે.

Post a Comment